મુખ્ય સામગ્રી પર જાઓ

ચર્ચાપત્ર લખવાની રીત, ફોર્મેટ અને ઉદાહરણો | Charchapatra in Gujarati for GPSC, CCE & TAT Mains | EduStepGujarat

ગુજરાતના પ્રમુખ સત્યાગ્રહો (Major Satyagrahas): ખેડા, બારડોલી અને દાંડી કૂચ - ઇતિહાસ અને તથ્યો (History GK)

ગુજરાતના પ્રમુખ સત્યાગ્રહો Satyagrahas ofGujarat by edustepgujarat


નમસ્કાર મિત્રો! ભારતની આઝાદીની લડાઈમાં ગુજરાતનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક સત્યાગ્રહો થયા, જેણે બ્રિટિશ હકુમતને હચમચાવી દીધી હતી. પરીક્ષાની દ્રષ્ટિએ ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને દાંડી કૂચ સૌથી મહત્વના છે. આજે આપણે આ સત્યાગ્રહો ક્યારે થયા? કોની આગેવાનીમાં થયા? અને તેનું પરિણામ શું આવ્યું? તે કોષ્ટક દ્વારા જાણીશું.
ગુજરાતના મહત્વના સત્યાગ્રહો: એક નજર (Master Table)
નીચેના કોઠામાં સત્યાગ્રહનું નામ, વર્ષ અને તેના મુખ્ય નેતાની માહિતી આપી છે.

સત્યાગ્રહનું નામ વર્ષ (Year) મુખ્ય નેતા / આગેવાન
ખેડા સત્યાગ્રહ 1917-18 ગાંધીજી, વલ્લભભાઈ પટેલ
બોરસદ સત્યાગ્રહ 1923 વલ્લભભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ
બારડોલી સત્યાગ્રહ 1928 સરદાર વલ્લભભાઈ પટેલ
દાંડી કૂચ 1930 મહાત્મા ગાંધી
ધરાસણા સત્યાગ્રહ 1930 સરરોજિની નાયડુ, ઈમામ સાહેબ
ધોલેરા સત્યાગ્રહ 1930 અમૃતલાલ શેઠ

સત્યાગ્રહો વિશે વિગતવાર માહિતી (Detailed Info)

૧. ખેડા સત્યાગ્રહ (૧૯૧૭-૧૮):

  • કારણ: ખેડામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો, છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાની ના પાડી હતી.
  • વિશેષતા: આ ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને આઝાદીની લડાઈમાં જોડાયા.

૨. બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩):

  • કારણ: બાબર દેવા નામના બહારવટિયાનો ત્રાસ હતો, પણ સરકારે પ્રજા પર 'હૈડિયા વેરો' (દંડ) નાખ્યો હતો.
  • પરિણામ: સરદાર પટેલ અને દરબાર ગોપાળદાસે લડત ચલાવી અને સરકારને વેરો રદ કરવો પડ્યો. આ સરદાર પટેલનો પ્રથમ સફળ સત્યાગ્રહ હતો.

૩. બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮):

  • કારણ: સરકારે ખેડૂતો પર મહેસૂલમાં ૨૨% નો વધારો ઝીંક્યો હતો.
  • વિશેષતા: આ સત્યાગ્રહની સફળતા બાદ બારડોલીની બહેનોએ (અને ભીખીબેને) વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરુદ આપ્યું હતું.

૪. દાંડી કૂચ (૧૯૩૦):

  • કારણ: અંગ્રેજોએ મીઠા પર કર (Tax) નાખ્યો હતો.
  • વિગત: ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સાથીઓ સાથે કૂચ શરૂ કરી. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડી પહોંચી ચપટી મીઠું ઉપાડી કાયદો તોડ્યો.
  • ​મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે.

પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)

  • ​ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? - સરરોજિની નાયડુ.
  • ​ધોલેરા સત્યાગ્રહ કોના નેતૃત્વમાં થયો? - અમૃતલાલ શેઠ.
  • ​"હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું" - આ પ્રતિજ્ઞા ગાંધીજીએ ક્યારે લીધી? - દાંડી કૂચ વખતે.

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, ગુજરાતના આ સત્યાગ્રહોએ દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરીક્ષામાં ખાસ કરીને સાલ (Year) અને નેતા (Leader) ના જોડકાં પૂછાય છે.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

AEIAT Hall Ticket 2026: મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો | EduStepGujarat

મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) ૨૦૨૬ પરીક્ષાની હોલ ટિકિટ (કોલ લેટર) જાહેર મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-૩) ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ખુશખબર છે! રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા પ્રાથમિક શાળાઓ માટેની આ મહત્વની પરીક્ષાના કોલ લેટર આજથી જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો નીચે આપેલી ડાયરેક્ટ લિંક પરથી પોતાની વિગતો ભરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. 📌 પરીક્ષાની મહત્વની વિગતો બાબત વિગત પરીક્ષાનું નામ મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) વર્ગ / કેડર વર્ગ-૩ (પ્રાથમિક શાળાઓ) આયોજક રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) હોલ ટિકિટ સ્ટેટસ ડાઉનલોડ થવાનું શરૂ 📲 હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રીત: સૌ પ્રથમ SEB ની સત્તાવાર વેબસાઈટ sebexam.org પર જાઓ. મેનૂમાં "Print Hall Ticket" ના ઓપ્શન ...

ભારતના વર્તમાન પદાધિકારીઓ ૨૦૨૬: ૨૮ રાજ્યો, સંરક્ષણ દળ અને તમામ આયોગની સંપૂર્ણ યાદી | EduStepGujarat

ભારતના વર્તમાન પદાધિકારીઓ ૨૦૨૬: સંપૂર્ણ જાણકારી ૨૮ રાજ્યો, ૮ UTs અને તમામ ભરતી બોર્ડની લેટેસ્ટ વિગતો | EduStepGujarat 📘 પ્રસ્તાવના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં "વર્તમાન પદાધિકારીઓ" એ સૌથી વધુ સ્કોરિંગ વિષય છે. GPSC, CCE, TAT, આર્મી કે પોલીસ ભરતીમાં સીધા ૩ થી ૫ પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે. આ પોસ્ટમાં અમે ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના તમામ અપડેટ્સ આવરી લીધા છે. આ એક એવી માસ્ટર પોસ્ટ છે જેમાં ભારતનું સંપૂર્ણ શાસનતંત્ર અને વહીવટી માળખું સમાવિષ્ટ છે. 🏛️ ૧. ભારતના મુખ્ય બંધારણીય પદાધિકારીઓ હોદ્દો (Position) પદાધિકારીનું નામ ક્રમ / કલમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૫મા (કલમ ૫૨) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૫મા (કલમ ૭૪) ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન ૧૫મા (કલમ ૬૩) મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા (કલમ ૧૨૪) લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ૧૮મી લોકસભા ...

ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો (કલમ ૫૧-ક) | શોર્ટકટ ટ્રીક્સ અને IMP પ્રશ્નો | Fundamental Duties in Gujarati

  ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો (Fundamental Duties) ભાગ ૪-ક | કલમ ૫૧-ક | સંપૂર્ણ વિગતવાર સમજૂતી 📝 પ્રસ્તાવના લોકશાહીમાં 'અધિકાર' અને 'ફરજ' એ એક જ સિક્કાની બે બાજુઓ છે. ભારતીય બંધારણ આપણને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે મૂળભૂત અધિકારો આપે છે, પરંતુ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી પણ કેટલીક નૈતિક અને નાગરિક જવાબદારીઓ છે. આ જવાબદારીઓને જ 'મૂળભૂત ફરજો ( Fundamental Duties in Gujarati) ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળ બંધારણમાં આ ફરજોનો ઉલ્લેખ નહોતો, પરંતુ ૧૯૭૬ના ૪૨માં સુધારા દ્વારા તેને ઉમેરવામાં આવી હતી. આ લેખમાં આપણે ૧૧ મૂળભૂત ફરજોને એવી રીતે સમજીશું કે જે તમને GPSC, TAT, CCE જેવી પરીક્ષાઓમાં પૂરેપૂરા માર્કસ અપાવશે.  💡 ઝડપી હકીકતો ✅ સ્ત્રોત: રશિયા (USSR) ✅ સુધારો: ૪૨મો સુધારો (૧૯૭૬) ✅ સમિતિ: સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ✅ કલમ: ૫૧-ક (Article 51A) ✅ ભાગ: ૪-ક (Part IV-A) ⏳ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (History) ૧. ૧૯૫૦ (મ...