ગુજરાતના પ્રમુખ સત્યાગ્રહો (Major Satyagrahas): ખેડા, બારડોલી અને દાંડી કૂચ - ઇતિહાસ અને તથ્યો (History GK)

ગુજરાતના પ્રમુખ સત્યાગ્રહો Satyagrahas ofGujarat by edustepgujarat


નમસ્કાર મિત્રો! ભારતની આઝાદીની લડાઈમાં ગુજરાતનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક સત્યાગ્રહો થયા, જેણે બ્રિટિશ હકુમતને હચમચાવી દીધી હતી. પરીક્ષાની દ્રષ્ટિએ ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને દાંડી કૂચ સૌથી મહત્વના છે. આજે આપણે આ સત્યાગ્રહો ક્યારે થયા? કોની આગેવાનીમાં થયા? અને તેનું પરિણામ શું આવ્યું? તે કોષ્ટક દ્વારા જાણીશું.
ગુજરાતના મહત્વના સત્યાગ્રહો: એક નજર (Master Table)
નીચેના કોઠામાં સત્યાગ્રહનું નામ, વર્ષ અને તેના મુખ્ય નેતાની માહિતી આપી છે.

સત્યાગ્રહનું નામ વર્ષ (Year) મુખ્ય નેતા / આગેવાન
ખેડા સત્યાગ્રહ 1917-18 ગાંધીજી, વલ્લભભાઈ પટેલ
બોરસદ સત્યાગ્રહ 1923 વલ્લભભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ
બારડોલી સત્યાગ્રહ 1928 સરદાર વલ્લભભાઈ પટેલ
દાંડી કૂચ 1930 મહાત્મા ગાંધી
ધરાસણા સત્યાગ્રહ 1930 સરરોજિની નાયડુ, ઈમામ સાહેબ
ધોલેરા સત્યાગ્રહ 1930 અમૃતલાલ શેઠ

સત્યાગ્રહો વિશે વિગતવાર માહિતી (Detailed Info)

૧. ખેડા સત્યાગ્રહ (૧૯૧૭-૧૮):

  • કારણ: ખેડામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો, છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાની ના પાડી હતી.
  • વિશેષતા: આ ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને આઝાદીની લડાઈમાં જોડાયા.

૨. બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩):

  • કારણ: બાબર દેવા નામના બહારવટિયાનો ત્રાસ હતો, પણ સરકારે પ્રજા પર 'હૈડિયા વેરો' (દંડ) નાખ્યો હતો.
  • પરિણામ: સરદાર પટેલ અને દરબાર ગોપાળદાસે લડત ચલાવી અને સરકારને વેરો રદ કરવો પડ્યો. આ સરદાર પટેલનો પ્રથમ સફળ સત્યાગ્રહ હતો.

૩. બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮):

  • કારણ: સરકારે ખેડૂતો પર મહેસૂલમાં ૨૨% નો વધારો ઝીંક્યો હતો.
  • વિશેષતા: આ સત્યાગ્રહની સફળતા બાદ બારડોલીની બહેનોએ (અને ભીખીબેને) વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરુદ આપ્યું હતું.

૪. દાંડી કૂચ (૧૯૩૦):

  • કારણ: અંગ્રેજોએ મીઠા પર કર (Tax) નાખ્યો હતો.
  • વિગત: ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સાથીઓ સાથે કૂચ શરૂ કરી. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડી પહોંચી ચપટી મીઠું ઉપાડી કાયદો તોડ્યો.
  • ​મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે.

પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)

  • ​ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? - સરરોજિની નાયડુ.
  • ​ધોલેરા સત્યાગ્રહ કોના નેતૃત્વમાં થયો? - અમૃતલાલ શેઠ.
  • ​"હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું" - આ પ્રતિજ્ઞા ગાંધીજીએ ક્યારે લીધી? - દાંડી કૂચ વખતે.

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, ગુજરાતના આ સત્યાગ્રહોએ દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરીક્ષામાં ખાસ કરીને સાલ (Year) અને નેતા (Leader) ના જોડકાં પૂછાય છે.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું