વડોદરા જિલ્લો (Vadodara District): ઇતિહાસ, મહેલો અને સામાન્ય જ્ઞાન - સંપૂર્ણ માહિતી (GPSC/Talati Special)

 

Vadodara jilla no itihas ane teni sampurn mahiti by edustepgujarat

નમસ્કાર મિત્રો! EduStepGujarat ની જિલ્લા સિરીઝમાં આજે આપણે વાત કરીશું ગુજરાતની 'સંસ્કારી નગરી' અને 'મહેલોના શહેર' તરીકે ઓળખાતા વડોદરા વિશે. વડોદરાનું જૂનું નામ 'વટપદ્ર' હતું (વડના વૃક્ષો પરથી). મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન વડોદરાનો જે વિકાસ થયો, તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે.

વડોદરા જિલ્લાની સામાન્ય માહિતી (General Information)

વિગત માહિતી
મુખ્ય મથક (Headquarter) વડોદરા
નદી વિશ્વામિત્રી (મગરોની નદી)
RTO કોડ GJ-06
વિશેષતા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ અને શિક્ષણધામ
ઉપનામ સંસ્કારી નગરી, મહેલોનું શહેર

(By EduStepGujarat)

vadodara jillano nakasho


વડોદરા જિલ્લાના તાલુકાઓ (Talukas)

​વડોદરા જિલ્લામાં કુલ ૮ તાલુકા આવેલા છે:

  1. ​વડોદરા (City)
  2. ​ડભોઈ
  3. ​કરજણ
  4. ​પાદરા
  5. ​વાઘોડિયા
  6. ​સાવલી
  7. ​શિનોર
  8. ​ડેસર

જોવાલાયક સ્થળો અને સ્થાપત્યો

૧. લક્ષ્મી વિલાસ પેલેસ (Laxmi Vilas Palace):

  • ​આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો.
  • ​તે લંડનના બકિંગહામ પેલેસ કરતા પણ ચાર ગણો મોટો છે. આનું સ્થાપત્ય ઇન્ડો-ગોથિક શૈલીનું છે.

૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU):

  • ​ગુજરાતની એકમાત્ર અંગ્રેજી માધ્યમની યુનિવર્સિટી. તેનો ડોમ (ઘુમ્મટ) બીજાપુરના ગોળ ઘુમ્મટ પછી બીજા નંબરે આવે છે.

૩. ઇ.એમ.ઇ. ટેમ્પલ (EME Temple):

  • ​દક્ષિણામૂર્તિનું આ શિવ મંદિર એલ્યુમિનિયમ માંથી બનેલું છે. આર્મીના જવાનો દ્વારા તેનું સંચાલન થાય છે.

૪. કમાટી બાગ (સયાજી બાગ):

  • ​મધ્ય ગુજરાતનું સૌથી મોટું ગાર્ડન છે. અહીં પ્લેનેટોરિયમ, ઝૂ અને ટોય ટ્રેન આવેલી છે.

૫. આજવા ડેમ (Ajwa Dam):

  • ​સયાજીરાવ ગાયકવાડે વડોદરાને પાણી પૂરું પાડવા માટે વિશ્વામિત્રી નદી પર આ ડેમ બંધાવ્યો હતો. તેની ડિઝાઈન જગન્નાથ સાધે તૈયાર કરી હતી.

પરીક્ષામાં પૂછાતા અગત્યના મુદ્દા (One Liner GK)

  • ​વડોદરા કઈ નદી કિનારે વસેલું છે? - વિશ્વામિત્રી (જેમાં સૌથી વધુ મગર જોવા મળે છે).
  • ​ગુજરાતમાં સૌથી વધુ રાસાયણિક ઉદ્યોગો ક્યાં છે? - વડોદરા (નંદેસરી GIDC).
  • ગુજરાત રિફાઇનરી (કોયલી) ક્યાં આવેલી છે? - વડોદરામાં.
  • ​રેલવે સ્ટાફ કોલેજ (NAIR) ક્યાં આવેલી છે? - વડોદરા (લાલ બાગ પેલેસમાં).
  • ​કવિ પ્રેમાનંદ અને દયારામનું વતન કયું હતું? - વડોદરા અને ડભોઈ.

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, વડોદરા જિલ્લો શિક્ષણ અને ઉદ્યોગ બંને ક્ષેત્રે અગ્રેસર છે. ગાયકવાડ શાસન અને રિફાઇનરીને લગતા પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે છે.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું