૧૮૫૭નો વિપ્લવ (Revolt of 1857): ભારત અને ગુજરાતના ક્રાંતિકારીઓ | કારણો અને પરિણામ - સંપૂર્ણ ઇતિહાસ (History GK)

 

1857 Revolt Leaders Mangal Pandey and Rani Laxmibai

નમસ્કાર મિત્રો! ભારતની આઝાદીની લડાઈનો પાયો ૧૮૫૭ના વિપ્લવ દ્વારા નંખાયો હતો. અંગ્રેજોના અન્યાયી શાસન સામે ભારતીય પ્રજા અને સૈનિકોએ કરેલો આ પ્રથમ સશસ્ત્ર બળવો હતો. વીર સાવરકરે આ ઘટનાને "ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ" કહ્યો છે. મંગલ પાંડેની બંદૂકથી શરૂ થયેલી આ ક્રાંતિમાં ઝાંસીની રાણી અને તાત્યા ટોપે જેવા વીરોએ બલિદાન આપ્યા હતા. આજે આપણે ભારત અને ગુજરાતમાં આ વિપ્લવ ક્યાં અને કોણે કર્યો? તેની વિગતવાર માહિતી મેળવીશું.

વિપ્લવનું મુખ્ય કારણ: એનફિલ્ડ રાઈફલ

  • ​અંગ્રેજ સરકારે સૈનિકોને નવી 'Enfield Rifle' આપી હતી.
  • ​આ રાઈફલના કારતૂસ (Cartridge) પર ગાય અને ડુક્કરની ચરબી લાગેલી હતી, જેને દાંતથી તોડવી પડતી.
  • ​હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના સૈનિકોની ધાર્મિક લાગણી દુભાઈ, જે વિપ્લવનું તાત્કાલિક કારણ બન્યું.
  • પ્રથમ શહીદ: ૨૯ માર્ચ ૧૮૫૭ના રોજ બરાકપુર છાવણીમાં મંગલ પાંડે એ અંગ્રેજ અધિકારી પર ગોળી ચલાવી હતી. તેમને ૮ એપ્રિલે ફાંસી આપવામાં આવી.

૧. ભારતમાં વિપ્લવના મુખ્ય કેન્દ્રો (Leaders of India - Table)

​કયા શહેરમાં કોણે નેતૃત્વ કર્યું? તે જોડકાં પરીક્ષામાં વારંવાર પૂછાય છે.

કેન્દ્ર (Center) નેતૃત્વ (Leader)
દિલ્હી બહાદુરશાહ ઝફર (છેલ્લા મુઘલ બાદશાહ)
કાનપુર નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે
ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ("હું મારી ઝાંસી નહીં આપું")
લખનૌ બેગમ હઝરત મહલ
જગદીશપુર (બિહાર) કુંવરસિંહ (૮૦ વર્ષના યુવાન)
બરેલી ખાન બહાદુર ખાન

૨. ગુજરાતમાં ૧૮૫૭નો વિપ્લવ (Revolt in Gujarat)

​ગુજરાત પણ આ ક્રાંતિમાં પાછળ નહોતું. અહીં પણ અનેક જગ્યાએ અંગ્રેજો સામે બળવો થયો હતો.

ગુજરાતનું સ્થળ આગેવાન / નેતા
ઓખામંડળ (દ્વારકા) જોધા માણેક અને મૂળુ માણેક
આણંદ / ખેડા ગરબડદાસ મુખી (આંદામાનની સજા થઈ)
મહીસાગર પાંડરવાડાના આદિવાસીઓ
છોટાઉદેપુર તાત્યા ટોપે (સંતાયા હતા)
નાંદોદ (રાજપીપળા) સૈયદ મુરાદ અલી

પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)

  • ​વિપ્લવની શરૂઆત ક્યારે થઈ? - ૧૦ મે, ૧૮૫૭ (મેરઠથી).
  • ​વિપ્લવ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? - લોર્ડ કેનિંગ.
  • ​વિપ્લવનું પ્રતિક શું હતું? - કમળ અને રોટલી.
  • ​તાત્યા ટોપે ગુજરાતમાં કયા નામે રહેતા હતા? - ટહેલદાસ.
  • ​ગુજરાતમાં વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? - અમદાવાદ (૭મી લશ્કરી ટુકડી દ્વારા).

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, ભલે ૧૮૫૭નો વિપ્લવ નિષ્ફળ ગયો, પણ તેણે અંગ્રેજી શાસનના પાયા હચમચાવી નાખ્યા. આ ઘટના પછી જ ભારતમાં 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' નું શાસન પૂરું થયું અને સીધું 'બ્રિટિશ તાજ' (રાણી વિક્ટોરિયા) નું શાસન આવ્યું.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું