ભારતનું બંધારણ: મૂળભૂત અધિકારો (Fundamental Rights) | અનુચ્છેદ 12 થી 35 - ટ્રીક અને સમજૂતી (Constitution GK)

 

Indian Constitution Fundamental Rights Articles Chart Gujarati

નમસ્કાર મિત્રો! પોલીસ કોન્સ્ટેબલ ભરતીના PART-B માં બંધારણ ૩૦ માર્ક્સનું છે. તેમાં સૌથી વધુ પ્રશ્નો "મૂળભૂત અધિકારો" (ભાગ-૩) માંથી પૂછાય છે. આ અધિકારો આપણને અમેરિકાના બંધારણમાંથી મળ્યા છે. "અસ્પૃશ્યતા નિવારણ" હોય કે "બોલવાની સ્વતંત્રતા", એક પોલીસ તરીકે તમારે આ કાયદા જાણવા ખૂબ જરૂરી છે. આજે આપણે ૬ મુખ્ય અધિકારો અને તેના અનુચ્છેદો કોષ્ટક દ્વારા યાદ રાખીશું.

મૂળભૂત અધિકારો: યાદ રાખવાની ટ્રીક (Short Trick)

​મૂળભૂત અધિકારો કુલ છે. (પહેલા ૭ હતા, પણ મિલકતનો અધિકાર રદ થયો).

ટ્રીક: "સમાન સ્વતંત્ર શોષણ ધાર્મિક સાંસ્કૃતિક ઉપચાર"

  1. સમાનતાનો અધિકાર (અનુ. ૧૪-૧૮)
  2. સ્વતંત્રતાનો અધિકાર (અનુ. ૧૯-૨૨)
  3. શોષણ વિરોધી અધિકાર (અનુ. ૨૩-૨૪)
  4. ધાર્મિક સ્વતંત્રતા (અનુ. ૨૫-૨૮)
  5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક (અનુ. ૨૯-૩૦)
  6. ​બંધારણીય ઉપચારનો અધિકાર (અનુ. ૩૨)

મહત્વના અનુચ્છેદોનું લિસ્ટ (Master Articles Table)

​પરીક્ષામાં સીધું પૂછાય છે કે કયા અનુચ્છેદમાં શું છે? ગોખી લેજો!

અનુચ્છેદ (Article) જોગવાઈ / વિગત
અનુચ્છેદ ૧૪ કાયદા સમક્ષ સમાનતા (Law)
અનુચ્છેદ ૧૫ ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ પ્રતિબંધ
અનુચ્છેદ ૧૬ જાહેર નોકરીમાં સમાન તક
અનુચ્છેદ ૧૭ અસ્પૃશ્યતા નાબૂદી (સૌથી વધુ પૂછાય છે)
અનુચ્છેદ ૧૮ ઇલકાબો/ખિતાબોની નાબૂદી (પદ્મશ્રી, ભારત રત્ન સિવાય)
અનુચ્છેદ ૧૯ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા (6 પ્રકારની)
અનુચ્છેદ ૨૧ જીવન જીવવાનો અધિકાર (Personal Liberty)
અનુચ્છેદ ૨૩ મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ
અનુચ્છેદ ૨૪ બાળમજૂરી પર પ્રતિબંધ (૧૪ વર્ષથી નીચે)
અનુચ્છેદ ૩૨ બંધારણીય ઈલાજોનો અધિકાર (બંધારણનો આત્મા)

અનુચ્છેદ વિશે ઊંડાણપૂર્વક માહિતી (Deep Details)

અનુચ્છેદ ૧૭ (અસ્પૃશ્યતા નાબૂદી):

  • ​આ અનુચ્છેદ મુજબ કોઈપણ સ્વરૂપે આચરાતી અસ્પૃશ્યતા ગુનો બને છે. ગાંધીજીની વિચારધારા પર આધારિત છે.

અનુચ્છેદ ૧૯ (વાણી સ્વાતંત્ર્ય):

  • ​પ્રેસ (મીડિયા) ની સ્વતંત્રતા પણ આમાં જ આવી જાય છે.
  • ​હરવા-ફરવાની, સંઘ રચવાની અને ધંધો કરવાની છૂટ આપે છે.

અનુચ્છેદ ૨૧ (જીવન જીવવાનો અધિકાર):

  • ​આ અધિકાર કટોકટી સમયે પણ રદ કરી શકાતો નથી.
  • ૨૧(A): શિક્ષણનો અધિકાર (RTE) આમાં પાછળથી ઉમેરવામાં આવ્યો.

અનુચ્છેદ ૩૨ (બંધારણીય ઈલાજો):

  • ​જો તમારા અધિકાર ભોગવાય નહીં, તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો.
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ અનુચ્છેદને "બંધારણનો આત્મા" કહ્યો છે.

પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)

  • ​મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં છે? - ભાગ-૩.
  • ​અધિકારોનો વિચાર કયા દેશમાંથી લીધો? - અમેરિકા (USA).
  • ​મિલકતનો અધિકાર કયા સુધારાથી રદ થયો? - ૪૪મો સુધારો (૧૯૭૮).
  • ​મૂળભૂત અધિકારોનો રક્ષક કોણ છે? - સુપ્રીમ કોર્ટ.
  • ​ડો. આંબેડકરે કોને બંધારણનો આત્મા કહ્યો? - અનુચ્છેદ ૩૨.

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં અનુચ્છેદ ૧૭ અને ૩૨ વારંવાર દેખાય છે. આ ટેબલ તમારી નોટબુકમાં લખી લેજો.

📖 વધુ વાંચો (Read More):

1 ટિપ્પણીઓ

વધુ નવું વધુ જૂનું